3 November 2014

sadashiv amrapurkar no more....

 
 
: અભિનેતા સદાશિવ અમરાપુરકર
 
મુંબઇ: 250થી વધુ ફિલ્મોમાં કામ કરનાર બોલીવૂડ અભિનેતા સદાશિવ અમરાપુરકરનું આજે સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. થોડા દિવસ પહેલાં તેમની તબિયત બગડતાં મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે તેમની તબિયત વધુ બગડી હતી. તેમને લાઇફ સપોર્ટ વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

તેમને પરિવારજનો અને મિત્રો તાત્યાના હુલામણા નામે બોલાવતા હતા. સોશિઅલ મીડિયામાં અગાઉ પણ સદાશિવના મોતની અફવાઓ ચાલી હતી. તેમણે 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

1984માં આવેલી 'અર્ધ સત્ય' ફિલ્મ માટે તેમને સહાયક અભિનેતા અને 1991માં આવેલી 'સડક' માટે બેસ્ટ ખલનાયકનો એવોર્ડ પણ મળ્યો હતો. છેલ્લે તમણે 2012માં 'બોમ્બે ટોકીઝ' માટે અભિનય કર્યો હતો.